અંબાજી,
અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે શરૂ થયેલો વિરોધને લઇને સતત ચોજા દિવસે બજારો બંધ જોવા મળ્યા. પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ હળવો કરવાની વેપારીઓએ માંગ કરી.
અંબાજીમાં મેળાનાં આડે માત્ર 2 દિવસ આડા છે, ત્યારે અંબાજીમાં થયેલા વેપારીઓ પોલીસના લાઠી ચાર્જનો વિરોધને લયી આજે અંબાજી સજ્જડ બંદ કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ વેપારીઓ પર થયેલા લાઠી ચાર્જનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. બે વેપારીઓ ઘરેથી આવતા હતા ત્યારે પોલીસે તેમને માર માર્યો હતો. વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. 9 જેટલા વેપારીઓ વિરુધમાં લગાયેલી કલમો પાછી લેવા વેપારીઓએ માંગ કરી હતી.
થોડવા દિવસ પહેલા રોષે ભરાયેલા વેપારીઓએ અંબાજી ખોડી વકલી સર્કલ પાસે ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલે પોલીસે વેપારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.