Not Set/ કચ્છ: છપ્પન ભોગ’ની તડામાર તૈયારીઓ, અન્નકૂટમાં 450થી વધુ વાનગીઓનો ભોગ ધરાવાશે

કચ્છ, દિવાળીના પર્વ દરમિયાન ભુજ મંદિરમાં ધામધૂમપૂર્વક અન્નકૂટોત્સવ ઉજવવામાં આવે છે.પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 15 દિવસથી ‘છપ્પન ભોગ’ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બેસતા વર્ષનાં દિવસે ભક્તજનોને અન્નકુટનાં ભવ્ય દર્શન પ્રાપ્ત થશે.  આ વખતે અન્નકૂટમાં ૪૫૦થી વધુ વેરાઇટી સભર વાનગીઓનો ભોગ […]

Gujarat Others

કચ્છ,

દિવાળીના પર્વ દરમિયાન ભુજ મંદિરમાં ધામધૂમપૂર્વક અન્નકૂટોત્સવ ઉજવવામાં આવે છે.પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

છેલ્લા 15 દિવસથી ‘છપ્પન ભોગ’ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બેસતા વર્ષનાં દિવસે ભક્તજનોને અન્નકુટનાં ભવ્ય દર્શન પ્રાપ્ત થશે.  આ વખતે અન્નકૂટમાં ૪૫૦થી વધુ વેરાઇટી સભર વાનગીઓનો ભોગ ધરાવાશે.

આ માટે સંતો, ભક્તો તથા સાંખ્ય યોગી બહેનો દ્વારા સેવા યજ્ઞ શરૂ કરી દેવાયો છે.ક્ચ્છ ઉપરાંત વિદેશમાં વસતાં ભક્તજનોને અન્નકુટ પ્રસાદ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.