અરવલ્લી,
અરવલ્લીમાં કેનાલમાં ગાબડું પડતાં તંત્રના ભષ્ટ્રાચારની પોલ ખુલ્લી પડી છે. માલપુરના અણિયોર પાસે આવેલી જમણા કાંઠાની કેનાલમાં આ ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં પાણીનો મોટાપાયે બગાડ થયો છે. એક તરફ ખેડૂતો સિંચાઇ માટેનના પાણીને લઇને વલ્ખા મારી રહ્યા છે. તેવામાં ગાબડા પડવાને કારણે હજ્જારો લિટર પાણીનો બગાડ થતાં જગતનાતાતને રોવાનો વારો આવ્યો છે.