અરવલ્લી,
અરવલ્લીના ધનસુરના શિકા પાસેની કેનાલમાં લિકેઝ થતાં તંત્રના ભ્રષ્ટ્રાચારની પોલ છતિ થઇ છે. કેનાલમાં લિકેઝ થવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો છે.
પાણીનો બગાડ થતાં ગામના લોકો પાણીથી વંચિત રહ્યા છે. જો કે કેનાલમાં લિકેઝ થવાની ફરિયાદ અનેક વખત ઉઠી છે અને તંત્રના અધિકારીઓને રજૂઆત પણ કરી છે.
છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ કેમ સ્થાનિકોના સહારે આવતા નથી તે સૌથી મોટો સવાલ છે. મહત્વની વાત તો એ છે કે એક તરફ રાજ્યભરમાં સિંચાઇ માટેના પાણીના વલ્ખા મારી રહ્યા છે. તેવામાં કેનાલ લિકેજ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
