બનાસકાંઠા,
બનાસકાંઠાના થરાદ ઢીમા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. 13 કિલોમીટર રોડના કામમાં ગેરરીતિ સામે આવી છે. ત્યારે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે કામ થઇ રહ્યુ છે.
ત્યારે સરસ્વતી બીલકોન નામના કોન્ટ્રાક્ટરને કામનો કોન્ટ્રાક્ટ હતો. હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરવામાં આવ્યુ હતુ. કામગીરીમાં એન્જિનિયર કે વહીવટી અધિકારી નહિ. માત્ર મજૂરો દ્વારા રામભરોસે ચાલતી કરોડોની કામગીરી થઇ રહી છે.
રોડની સાઈડમાં નાળા દીવાલ જેવા કામમાં ગેરરીતિ સામે આવતા ભષ્ટ્રાચારની પોલ છતી થઇ છે. વહીવટી અધિકારી તેમજ કૉન્ટ્રાક્ટરની મિલિભગતથી ભ્રષ્ટાચાર કરાયો.
કામગીરી સામે તપાસ કરવા માંગ ઉઠી છે. કેટલાય સમયથી ગોકળગતીએ કામગીરી ચાલતી હતી. ત્યારે કૉન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ન લેવાતાં લોકચર્ચા ચાલી રહી છે.