અમદાવાદ,
તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ રદ કરવા મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મુદ્દે આજે અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે સૂત્રાપાાડાની કોર્ટ ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ 9 માસની સજા ફટકારી હતી.
જે બાદ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમનું ધારાસભ્ય પદ પર રદ્દ કરી નાખવામાં આવ્યું હતું. જે બાદ વિપક્ષે સત્તાપક્ષ અને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે વિપક્ષ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા. જો કે ભગવાન બારડ દ્વારા હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જેની પર આજે સુનાવણી થવાની છે.