ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાને ફરીવાર અપીલ કરી છે. વડાપ્રધાન ઇમરાન ખાનએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વાતચીત માટે અપીલ કરી છે. તેમનો આ પત્ર બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાની આશાને લઈને લખવામાં આવ્યો છે.
પીએમ ઇમરાન ખાનએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને દક્ષિણ એશિયા અને પડોશી દેશોમાં શાંતિ માટે સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્રમાં કાશ્મીર વિવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન ઇમરાન ખાને આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે ભારતે ગુરુવારે જણાવ્યું કે કિર્ગીસ્તાનના બીશ્કેકમાં થનાર શંઘાઇ સહકાર સંગઠનના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક માટે કોઈ યોજના નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી બિશ્કેકની એસસીઓ કોન્ફરન્સમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજવાની કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું નથી.
પાકિસ્તાનના વિદેશ પ્રધાને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને મોકલ્યો પત્ર
પાકિસ્તાનના વિદેશ પ્રધાન એસ.એમ. કુરૈશીએ ભારતના નવા વિદેશમંત્રી એસ. જયશંકરને પત્ર સાથે શુભેચ્છા પાઠવી છે. પત્રમાં,તેમણે ઇસ્લામાબાદ અને દિલ્હી વચ્ચે સંવાદ દ્વારા સંબંધો સુધારવાની આશા વ્યક્ત કરી હતી. આ પત્ર પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદની ભારતની અંગત મુલાકાત બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરફથી આવ્યો હતો.
પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સતત ત્રીજો પત્ર છે, જેમાં તેમણે વાતચીત કરવાની અપીલ કરી છે.
આ અગાઉ, વડાપ્રધાન ઇમરાન ખાને લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીની જીત પર ફોન કરી અભિનંદન પાઠવ્યા આપ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનંદન સંદેશા માટે ઇમરાન ખાનનો આભાર માનતા, વડા પ્રધાન મોદીએ ગરીબી સામે લડવા માટે પાકિસ્તાનમાં તેમના અગાઉના સંદેેશનું વારંવાર પુનરાવર્તન કર્યું. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ, સમૃદ્ધિ અને સહકારને પ્રોત્સાહન આપવા આતંકવાદ અને આતંકવાદથી મુક્ત પર્યાવરણને આવશ્યક છે.
આપને જણાવી દઈએ કે 14 મી ફેબ્રુઆરી, 2019 ના રોજ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થવા અને ભારતની એર સ્ટ્રાઈક પછી બંને વચ્ચેના સંબંધોમાં તણાવ છે. જો કે, ઘણી વાર વાટાઘાટો દ્વારા સંબંધો કેવી રીતે સુધારવી તે વિશે ઇમરાન ખાન વાત કરે છે પરંતુ ભારતએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકશે નહીં.