ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ આવતા મહિનામાં ભારતની મુલાકાતે આવશે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં તેમની મુલાકાત દરમિયાન AWACS અને એર-ટુ-એર ડર્બી મિસાઇલની ડીલ થઈ શકે છે.
ભારતીય વાયુસેનાને પણ ડર્બી મિસાઇલોની જરૂર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નેતન્યાહૂનો પ્રવાસ AWACS અને ડર્બી તેમજ અન્ય મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ સાથે પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આગામી 17 સપ્ટેમ્બરના રોજ ઇઝરાઇલમાં સામાન્ય ચૂંટણી છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નેતન્યાહુની ભારત મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે.
ભારતીય વાયુસેના ડર્બી મિસાઈલની જરૂરિયાત પહેલાં જ જાહેર કરી ચૂકી છે. નેતન્યાહૂની આ મુલાકાત દરમિયાન અવાક્સ અને ડર્બી સિવાય અન્ય કોઈ મહત્વનો રક્ષા સોદો થવાની પણ શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.