જ્યારે પાકિસ્તાની સરકાર અને સેના સતત ભારત વિરુદ્ધ કાવતરા ઘડી કરી રહી છે, તો બીજી તરફ ત્યાં જ નેતાઓ ભારતની પ્રશંસા કરીને આગળ આવી રહ્યાં છે. આવા જ એક નેતા અલ્તાફ હુસૈન છે, જે પાકિસ્તાનની મુત્તાહિદા કૌમિ મૂવમેન્ટ (એમક્યુએસએમ) ના સ્થાપક છે.
લંડનમાં શનિવારે તેમણે ભારતના વખાણમાં સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તા હમારા’ ગાયું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ પણ ખોલી..
પાકિસ્તાની નેતા આલ્ફા હુસેને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવું એ ભારતની આંતરિક બાબત છે. પાકિસ્તાને ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ.
તેમણે કહ્યું કે પાકિસ્તાન સૈન્ય અને પાકિસ્તાન સરકાર પર વિશ્વાસ ન કરવો જોઇએ. પાકિસ્તાન સરકાર અને તેની સેના 72 વર્ષથી કાશ્મીરના મુદ્દે તેમની છેતરપિંડી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.