દૂરસંચાર નિગમે દેશનાં મોબાઇલ ફોન નંબરને હાલનાં 10 ની જગ્યાએ 11 અંકમાં બદલવા અંગેનાં સૂચનો આમંત્રિત કર્યા છે. વધતી વસ્તી સાથે ટેલિકોમ કનેક્શન્સની માંગ સાથે કામ કરવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિકલ્પ અપનાવવા સૂચવવામાં આવ્યું છે. ભારતીય દૂરસંચાર નિગમે (ટ્રાઈ) ‘ડેવલપમેન્ટ ઓફ ઇન્ટિગ્રેટેડ માર્ક્સ સ્કીમ’ શીર્ષક સાથે એક ચર્ચાપત્ર જાહેર કર્યું છે.
યોજના મોબાઇલ અને સ્થિર એમ બંને પ્રકારની લાઇનો માટે છે. પરિચર્ચા પત્રમાં જણાવાયું છે કે જો એવુ માનીને ચાલવામાં આવે કે 2050 સુધીમાં ભારતમાં વાયરલેસ ફોનનો પ્રવેશ 200 ટકા થાય છે (એટલે કે દરેક વ્યક્તિની પાસે સરેરાશ બે મોબાઇલ કનેક્શન છે), તો આ દેશમાં સક્રિય મોબાઇલ ફોનની સંખ્યા 3.28 અબજ પર પહોંચી જશે.
હાલમાં દેશમાં 1.2 અબજ ફોન કનેક્શન્સ છે. નિયંત્રકનો અંદાજ છે કે જો 70 ટકા અંકોનો ઉપયોગ કરવામાં આવશે, તો તે સમય સુધીમાં, દેશમાં મોબાઇલ ફોન માટે 4.68 અબજ નંબરોની જરૂર પડશે. મશીનોની વચ્ચે પારસ્પરિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી/ઇન્ટરનેટ ઓફ ધ થિંગ્સ માટે સરકારે 13-અંકની નંબર શ્રેણી શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.