મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સીએમ વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે સાથે સીએમ રૂપાણીએ બાપુના જન્મસ્થળ કિર્તી મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આપને જણાવી દઈએ કે તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં ભેગો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. સેએમની સાથે સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા.
સીએમ રૂપાણીએ પોરબંદરમાં કરી જાહેરાત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ નિમિત્તે કિર્તીમંદિર ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યાર બાદ પોરબંદર ખાતે સીએમએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યુ કે પર્યાવરણ અંગે જાગૃતતા આવે માટે વિદ્યાર્થીઓને શાળામાં પર્યાવરણ લેબ શરૂ કરવામાં આવશે. શિક્ષણમાં નૈતિક મૂલ્યના પાઠ શીખવવા માટે જાહેરાત કરવામાં આવી છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.