ભીષણ આગ/ નવસારીમાં દુકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિનું કરૂણ મોત

નવસારીમાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં માળીની દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.

Gujarat Others
નવસારીમાં
  • નવસારીમાં દુકાનમાં લાગી ભીષણ આગ
  • આગમાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત
  • બીલીમોરા એલ.એમ.પી સ્કુલ સામે લાગી આગ

ગુજરતમાં એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત બાદ હવે નવસારીમાં આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં માળીની દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.આગને કારણે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેમા એક વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બિલીમોરા LMP સ્કૂલ પાસેની છે.

શશીકાંતભાઈ પરસોત્તમભાઈ પટેલ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત  થયું હતું. મોડી રાતનો બનાવ છે.  ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો. બીલીમોરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, આ આગાઉ સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી એમ સ્કવેર બિલ્ડિંગમ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયરના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ લઈને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી હતી અને ત્રીજા માળે ફસાયેલા 20 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો :BAOUનો સાતમો પદવીદાન સમારંભ 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે

આ પણ વાંચો : રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે,કોંગ્રેસ ચિંતન શિબિરમાં 11 મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો :સાવધાન! અમદાવાદ નજીક જોવા મળેલા સિંહે યુવક પર કર્યું હુમલો

આ પણ વાંચો :ગોધરાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, પરિવારજનોએ પરત લાવવા સરકારને કરી અપીલ