પાકિસ્તાન વતી, કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બરના રોજ કરવામાં આવશે, જ્યારે ભારત વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં, 8 નવેમ્બરે તેનું ઉદઘાટન કરવામાં આવશે. 9 નવેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કરતારપૂર જવાવાળા સર્વદલીય પ્રતિનિધિમંડળની આગેવાની કરશે.
કરતારપુર સાહિબના દર્શન માટેની નોંધણી મુલતવી રાખવામા આવી છે. મુખ્ય કારણ અંતિમ ડ્રાફ્ટ અંગે પાકિસ્તાનની હાલની અસંમતિ છે. પાકિસ્તાન હજી પ્રત્યેક શ્રધ્ધાળું પાસે થી 20 ડોલર ફી લેવા અંગે અડગ છે જેનો ભારત વિરોધ કરે છે. ભારત ઇચ્છે છે કે 20 ડોલર ફી લેવામાં ન આવે. પંજાબના સીએમ અમરિંદર સિંહે પણ પાકિસ્તાન પાસે દર્શન માટેની ફી હટાવવાની માંગ કરી છે. ભારત વતી, પીએમ મોદી 8 નવેમ્બરે કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.