- કાર અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો
- 5 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
- પોલીસ ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરના લિંબડી-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં વધુએક પરિવારનો ભોગ લેવાયો છે. ગત રાત્રે સુરેન્દ્રનગરના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહેતા પરિવારના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.
મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડાનો પરંતુ હાલમાં અમદાવાદમાં નોકરી કરતા યુવકના પરિવારજનો વહેલી સવારે સોમનાથના દર્શન કરવા નીકળ્યા હતા અને મોતના મુખમાં હોમી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લિંબડીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન