ભાજપના વધુ એક નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મુદ્દે ભાજપના સંકટ મોચક એવા ડે. CM નીતિન પટેલએ નિવેદન આપતા જણાવ્યું છે કે, જો કોઈ ધારાસભ્ય કે મંત્રી નારાજ થતા નથી. દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પોતાને મનગમતા કામ કરવા માંગતા હોય છે. જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માંગ પણ કરતા હોય છે.
તળાવમાં હનુમાનજીની મૂર્તિ મુકવા બાબતે સિંચાઇ વિભાગમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ છે.
મધુ શ્રીવાસ્તવના લાફાના નિવેદન મામલે તેમને જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવનું નિવેદન સ્વભાવિક છે. તેમનો સ્વભાવ ઉગ્ર છે. અમારી સરકાર માં કોઈ હનુમાન નથી… બધા રામ છે… સરકાર પાસે બધાની ઘણી માંગણીઓ હોય છે. પરંતુ સરકાર પોતાની જોગવાઇ અનુસાર કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.