સમગ્ર દેશ કોરોના વાયરસ સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. વાયરસ દરેક વિસ્તારમાં પહોંચી રહ્યો છે અને હવે તો ભારતીય સેનાનાં જવાનોને પણ તે ચેપગ્રસ્ત કરી ચુક્યો છે. ત્યારે કોરોના સંકટ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતે કહ્યું કે, સૈન્ય તરીકે અમે કોરોના સામે લડવાની અમારી જવાબદારી માનીએ છીએ. અમે સુનિશ્ચિત કર્યું છે કે, અમારા બધા સૈનિકો સલામત છે, જો અમારા જવાન, સેલર, એરમેન કોરોનાથી સંક્રમિત થયા તો અમે લોકોને કેવી રીતે મદદ કરીશું. કોરોનાએ સેનાનાં ત્રણેય ભાગોને અસર કરી છે, પરંતુ તે ખૂબ મર્યાદિત સંખ્યા છે. શિસ્ત અને ધૈર્યથી અમને આ રોગને રોકવામાં મદદ મળી છે.
#WATCH Whatever budget has been given to us, we must spend it pragmatically avoiding any wasteful expenditure. We don’t see any major drop in our operational preparedness…We’re capable of undertaking any operational task assigned to us: CDS Staff General Bipin Rawat pic.twitter.com/2nTWUX1ZPC
— ANI (@ANI) April 26, 2020
જનરલ રાવતે કહ્યું કે, અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેને આપણે અનુસરવાની જરૂર છે. ધૈર્ય અને શિસ્ત આપણને કોરોના સામેની લડતમાં મદદ કરશે. મને એમ કહીને ખૂબ જ આનંદ થાય છે કે અમારા લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, તેથી જો કોઈને ચેપ લાગ્યો હોય, તો અમે ખાતરી કરી શકીશું કે તે વાયરસ અન્ય લોકોમાં ફેલાય નહીં. આ સમયે અમે શસ્ત્રો, સાધનો અને દારૂગોળા વગેરે આયાત કરીએ છીએ. પરંતુ જો આપણે આ કામ ઉદ્યોગને આપી શકીએ અને તેમને સંશોધન ક્ષેત્રે કાર્ય કરવા દઈએ, તો આપણે આપણા દેશમાં શસ્ત્રો બનાવવાનું શરૂ કરી શકીએ છીએ.
#WATCH COVID19 has taught us a lesson that the time has now come to be self-reliant…In India, when we’re looking at becoming a regional power, we’ll have to support others¬ be dependent on support. It becomes important we support Make in India: CDS General Bipin Rawat pic.twitter.com/BI91RZPHcJ
— ANI (@ANI) April 26, 2020
જનરલ રાવતે કહ્યું કે, કોરોના સંકટ દરમિયાન વૈજ્ઞાનિક અને તબીબી સંશોધનનાં લોકો નવા સંશોધન સાથે આવ્યા છે, જેનાથી મેડિકલની ચીજો તૈયાર થઈ રહી છે અને અમે તેને વિદેશમાં નિકાસ કરી રહ્યા છીએ. તે જબરદસ્ત છે. અમને જે પણ બજેટ આપવામાં આવ્યું છે, તે હેઠળ અમારે કોઈપણ પ્રકારનાં નકામા ખર્ચની બચત કરવી પડશે. અમે ત્રણેય સૈન્યની સૈન્ય સજ્જતામાં કોઈ મોટી ખામી જોઇ નથી. અમે કોઈપણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર છીએ. ભારતમાં, અમે પ્રાદેશિક બળ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારે અન્ય લોકોની પણ મદદ કરવી પડશે. કોરોનાએ અમને શીખવ્યું છે કે આપણે કેવી રીતે આત્મનિર્ભર થવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.