ગુજરાત રાજ્યમાં રાજ્ય્માંકોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં લોક ડાઉન કર્ફ્યું જેવા તમામ ઉપાયો કોરોના ને કંટ્રોલ માં રાખવામાં નિષ્ફળ ગયા છે. છેલ્લા ૫૦ દિવસથી રાજ્યમાં લોક ડાઉન હોવા છતાંય કોરોના સતત વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોનાએ હાહાકર મચાવ્યો છે.
વડોદરા શહેરમાં કોરોનાના વાઈરસના આજે વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 607 ઉપર પહોંચી ગઇ છે અને મૃત્યુઆંક 32 પર પહોચ્યો છે. આજે વધુ 13 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 311 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
ઉલેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી સુપર સ્પ્રેડર એવા શાકભાજી અને વેપારીઓના સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પૈકી 32 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.