પાન મસાલાના શોખીનો હવે બિન્દાસ બની ખાઈ શકે છે. રોડ પર થૂંકવાની કે દંડ ભરવાની જરૂર નહિ રહે. રાજકોટ નીએક કંપની લઈને આવી છે ટોબેકો સ્પિટિંગ ગ્લાસ. આ ગલાસમાં ઠુંન્કવાથી કોઈ જ કીટાણું ફેલાતા નથી. અને થુંક અંદર જ જામી જાય છે.
સમગ્ર વિશ્વ જયારે કોરોનામાં ગ્રસ્ત છે અને લોકો કોરોના થી મુક્તિ મેળવવાં અલગ અલગ નુસ્કા અપનાવતા હોય છે અને અનેક અલગ અલગ આવિષ્કાર કરતા હોય છે. ત્યારે રાજકોટની રોજર મોટર્સ નામની કંપનીએ સ્પિટિંગ ટોબેકો ડિસપોઝિંગ ગ્લાસ બનાવ્યા છે.
મંતવ્ય સાથે વાત કરતા કંપનીના એમ.ડી. ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે કોરોનાના વાઈરસ થુકવાથી પણ ફેલાઈ શકે છે અને આ સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લોકો પાન, માવા અને ગુટકાનું વ્યસન કરે છે જેના કારણે રોડ ઉપર પાન–માવા ના થુંકના ધબા જોવા મળે છે. જેના કારણે અમો આ પ્રકારનો ગ્લાસ બનાવવાનું વિચાર્યું. લોકો રસ્તા પર કે જાહેર સ્થળ પર ન થૂંકે તે માટે બનાવ્યા છે સ્પીટિંગ ટોબેકો ગ્લાસ. આ ગ્લાસમાં કેમિકલ નો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા છે. જેના કારણે આ ખાસ પ્રકારના ગ્લાસ છે. કેમિકલનો ઉપયોગ કરી બનાવેલ ગ્લાસમાં થુકવાથી થુંક અંદર જામી જાય છે અને તેમાં કોઇ દુર્ગંધ આવતી નથી.
આ ગ્લાસના ઉપયોગથી સ્વચ્છતા રાખી શકાય અને જાહેરમાં કોઈ ન થુકે તો કોરોનાનું સંક્રમણ પણ અટકાવી શકાય. આ ગ્લાસ આવતા દિવસોમાં જાહેર સ્થળ પર ઉપયોગ કરી શકાશે આ માટે મનપા તંત્ર અને વહીવટી તંત્ર સાથે વેચાણ માટે વાતચીત કરવામાં આવશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.