ગુજરાતમાં લોકડાઉન 4 આવ્યા બાદ કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જીલ્લામાંથી બીજી જીલ્લામાં જવાની છૂટ મળતા હવે કોરોનાનો કહેર મોટા શહેરથી આગળ વધીને ગામડામાં પણ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે.
જૂનાગઢ જિલ્લાના આજે જ ત્રણ કેસ નોંધાયા છે.કેશોદ શહેરમાં કોરોનાના વધુ 3 નવા કેસ સામે આવ્યા છે. આપહેલા કેશોદમાં કોરોનાનો એક પોઝિટિવ સામે આવ્યો હતો. જુનાગઢ જિલ્લામાં બે દિવસ પહેલા કેશોદ તથા માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામે એમ એક જ દિવસમાં બે પોઝિટિવ કેસ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હતી.
આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી કેશોદમાં કુલ કોરોનના 4 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.