અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવામાં કોરોના વોરિયર્સ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે મેડિકલ સ્ટાફ દિવસ-રાત ખડેપગે કોરોના સામે લડી રહેલા દર્દીઓની સારવાર કરી છે. તો છેલ્લા બે મહિનામાં આ વાયરસથી ડોક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફના 200 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
આપણે જણાવી દઈએ કે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં છેલ્લા પાંચ દિવસમાં 12 જેટલા ઇન્ટર્ન તબીબો કોરોના પોઝિટિવ થયા છે. છતાં આઘાતજનક બાબત એવી છે કે આ ઇન્ટર્ન તબીબોને 14 દિવસના ક્વોરન્ટીન સમયને બદલે ફક્ત પાંચ દિવસનો જ સમય આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.