દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન માટે રાહતના સમાચાર છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં, તેઓ રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ છે. તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં કોરોના વાયરસના સંક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, તેમને હજી પણ તાવ છે.
दिल्ली के स्वास्थ्य मंत्री सत्येंद्र जैन का #COVID19 टेस्ट का रिजल्ट निगेटिव आया है। उनकी हालत स्थिर है, हालांकि उन्हें अभी भी बुखार है। https://t.co/89HofUshqM
— ANI_HindiNews (@AHindinews) June 16, 2020
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મોડી રાત્રે જૈનને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનને રાત્રે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોરોના વાયરસના લક્ષણો જોઇને કોરોના ટેસ્ટ કરવમાં આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને ઓક્સિજન પણ આપવામાં આવ્યું હતું.
Due to high grade fever and a sudden drop of my oxygen levels last night I have been admitted to RGSSH. Will keep everyone updated
— Satyendar Jain (@SatyendarJain) June 16, 2020
જ્યારે જૈનની તબિયત લથડી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. સીએમ કેજરીવાલે ટ્વિટમાં લખ્યું છે કે, “તમારા સ્વાસ્થ્યની સંભાળ લીધા વિના તમે દિવસની 24 કલાક લોકસેવામાં રોકાયેલા છો. કાળજી લો અને જલ્દી સ્વસ્થ થઇ જાવ.”
अपनी सेहत का ख़्याल किए बिना आप रात दिन 24 घंटे जनता की सेवा में लगे रहे। अपना ख़्याल रखें और जल्द स्वस्थ हों। https://t.co/pmsU5fuuRP
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 16, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.