અમરેલીમાં પાણીના ધુનામાં ન્હાવા પડેલા ત્રણમાંથી બે બાળકોના મોત નિપજ્યા જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. અમરેલીના જેશીંગપરામાં રહેતા અર્જૂન સોમપરા તેમજ સુની સોનપરા નામના બાળકો રંગપુર રોડ સ્થિત પાણીના ધુનામાં ન્હાવા પડ્યા હતા.
જો કે તરતા ન આવડતું હોવાથી બન્નેંના મોત નિપજ્યા છે. જયારે એકને બચાવી લેવાયો છે. બનાવની જાણ થતા જ પોલીસ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બન્નેં બાળકોના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.