દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જોવામાં આવી રહ્યો છે અને તેમા પણ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં કોરોના સંક્રમણે તંત્રની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે. આજે ફરી પાછ રાજકોટમાં કોરોનાનાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. રાજકોટની અમૃતા સોસાયટી, કોઠારીયા રોડ અને સાધુ વાસવાણી રોડ વિસ્તારમાંથી કોરોનાનાં એક – એક કેસ નોંધાયા હોવાથી તંત્ર દોડતું થયું છે. રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા સંક્રમીતોનાં સંપર્કમાં આવેલા લોકોની તપાસની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….