વડોદરા મનપાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે આજ રોજ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના 91 પોઝિટીવ કેસ સામે અવાયા છે. જે સાથે અત્યાર સુધી જીલ્લામાં કુલ 4381 કોરોના પોઝિટીવ સામે આવ્યા છે.
જ્યારે આજ રોજ વડોદરામાં આજે વધુ 51 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3346 દર્દી રિકવર થયા છે. તો વધુમાં આજરોજ 3 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે. જે સાથે અત્યાર સુધીમાં કુલ 82 દર્દીઓએ કોરોના નેકરને જીવ ગુમાવ્યો છે. હાલમાં વડોદરામાં કુલ 953 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 772 દર્દીની હાલત સ્થિર છે.
નોધનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. સતત કોરોના કેસમાં વધારો નોધાઈ રહ્યો છે. રાજયમાં અત્યાર સુધીમાં 56000 કર્તા વધુ કોરોના સંક્રમિતો નોધાઈ ચૂક્યા છે. તો 2300થી વધુ દર્દીઓના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.