ગુરુવાર મોડી રાત્રે 12.44 વાગ્યે રાજસ્થાનના જયપુરથી લગભગ 82 કિ.મી. દૂર ભૂકંપ આવ્યો હોવાની વિગતોને ભૂસ્તર શાસ્ત્ર વિભાગ દ્વારા પુષ્ટી આપવામાં આવી છે. રિએક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર 3.1 માપવામાં આવી હતી. સારી વાત એ છે કે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આંચકો ખૂબ ધીમાં હતાં, તેથી ઘણા લોકોને તેની ખબર પણ નહોતી કે આ ભૂકંપ હતો.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશમાં ભૂકંપના અનેક વિવિધ ક્ષેત્રમાં વિવિધ કંપન સાથેનાં કેટલાક આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં ફક્ત 4 મહિનામાં 18 ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હીમાં વારંવાર ભુકંપના આંચકાને જોતા દિલ્હી સરકારે હવે લોકોને ભૂકંપથી બચવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન દિલ્હીવાસીઓને ભૂકંપની ઘટનામાં બચાવ અને સાવચેતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….