ભારતમાં કોરોનાવાયરસથી સ્થિતિ ખરાબ થઈ રહી છે. ભારતમાં દર બીજા દિવસે 1,00,000 નવા કેસ નોંધાઇ રહ્યા છે. 14 ઓગસ્ટ 2020 ની સવાર સુધીમાં, દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા 24.61 લાખ થઇ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાવાયરસનાં 64,553 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1,007 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 24,61,190 કોરોના કેસ નોંધાયા છે. આ રોગમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા પણ 17 લાખ પાર પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં 17,51,555 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. દેશનો રિકવરી દર 70.17% પર ચાલી રહ્યો છે. વળી કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 48,049 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોના મૃત્યુ દર હજુ પણ 1.95 ટકા છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય તેને 1 ટકા સુધી લાવવાનું છે.
Spike of 64,553 cases and 1007 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally in the country rises to 24,61,191 including 6,61,595 active cases, 17,51,556 discharged/migrated & 48,040 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/WqClKQSJcc
— ANI (@ANI) August 14, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.