અમદાવાદના વીર સપૂત રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતા શહેર ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ફરજ દરમિયાન તેમનુ આકસ્મિક નિધન હોવાનુ સામે આવી રહ્યુ છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર તેમનો પાર્થિવ દેવ અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારનાં રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું હતુ. તેઓ શહીદ થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છે. તાજેતરમાં તેમના પાર્થિવ દેવને અમદાવાદનાં એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે. ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.