રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદમાં પણ હવે ગુંડારાજ કાયમ બની રહ્યું છે. જેમાં શહેરમાં દિનપ્રતિદિન હત્યા, મર્ડર, ગુંડાતત્વોનો આતંક જેવી ઘટનાઓ હવે દરરોજ બની રહેલી જોવા મળી રહી છે અને આ લોકોને જાણે પોલીસને જાણે કોઇ ડરના હોય તેમ ગુંડાગર્દી આચરી રહ્યા છે.
આ જ પ્રકારની એક ઘટના શહેરના નરોડા વિસ્તારમાં સામે આવી છે, ત્યાં લુખાતત્વોની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી મુજબ, નરોડાના વિશ્વકર્મા ચોક પાસે કુદરત રેસિડન્સી બાજુમાં જન્મદિવસની ઉજવણી કરતા સ્થાનિકને અવાજ ન કરવાનુ કહેતા બબાલ થઈ હતી અને ત્યારબાદ અસામાજીક તત્વો તિક્ષ્ણ હથિયારો લઈ સોસાયટીમાં ઘુસ્યા હતા. અસામાજીક તત્વોએ સ્થાનિક મહીલાઓને માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન તેઓએ બિભત્સ ગાળો આપી મારા મારી કરવા લાગ્યા હતા. બેફામ લુખાતત્વોએ મહિલાઓને પણ માર માર્યો હતો. હાલ આમ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર આસમાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.