હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની
લીંબુના રસને એક ગ્લાસ ચોખ્ખા પાણીના ગ્લાસમાં મેળવીને દિવસમાં બે વખત એક ગ્લાસ સવારે કસરત કરવા જાઓ તે પહેલા અથવા નાસ્તો કર્યા પહેલા ખાલી પેટે પીવાનો નિયમ રાખશો અને બીજો ગ્લાસ બપોરે કે સાંજે ચા નાસ્તો જમ્યા પહેલા પીવાનો નિયમ રાખશો. લીંબુના રસના પાણીમાં એક ચમચી મધ અથવા એક ચમચી ખાંડ નાખીને લઇ શકાય છે. આવો જાણીએ તેનાથી કેવા કેવા ફાયદા તમે મેળવી શકશો…
લીંબુનું પાણી લીમ્ફેટિક સિસ્ટમને પાવરફૂલ બનાવે છે જેને કારણે તમારી ઇમ્યુનિટી વધે છે અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે
1. વિટામિન બી કોમ્પ્લેક્સ છે.
2. પાવરફૂલ એંટીઓક્સિડંટ વિટામિન સી છે.
3. પોટાશ્યમ છે.
4. મેગ્નેશ્યમ છે.
5. બાયોફ્લેવેનોઇડ્સ સાઇટ્રિક એસિડ છે.
6. કેલ્શ્યમ છે.
7. પેક્ટિન છે અને ઘણા બધા ફ્લેનોઇડ્સ છે, સવારના ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીરનું મીડિયમ આલ્કલાઇન થાય છે.
ફાયદા :
1. શરીરનું મીડિયમ આલ્કલાઇન થવાથી કોઇ પણ ઉમ્મરે ખીલ થતાં નથી.
2. તેમાં પેક્ટિન છે તેને કારણે ભૂખ ઓછી લાગે છે. અને વજન કાબૂમાં રહે છે.
3. તેમાં પોટાશ્યમ હોવાથી તમારા પેશાબમાં સાઇટ્રેટનું પ્રમાણ વધે છે. તેથી ઓક્ષલેટનું પ્રમાણ ઘટી જાય છે એટલે કિડનીમાં ઓક્ષેલેટ સ્ટોન થતાં અટકી જાય છે. આ ઉપરાંત પોટાશ્યમને કારણે ડિપ્રેશનના દરદીઓને પણ ફાયદો થાય છે.
4. લીંબુનું પાણી લીમ્ફેટિક સિસ્ટમને પાવરફૂલ બનાવે છે જેને કારણે તમારી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધે છે અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે.
5. લીંબુનું પાણી પીવાથી કિડનીની પથરીની માફક ગોલબ્લેડરની પથરી થવાની શક્યતા ઓછી થાય છે અને ગોલબ્લેડરની પથરીને કારણે થતો દુખાવો ઓછો થાય છે.
6. લીંબુના પાણીમાં વિટામિન સી છે જે એક પાવરફૂલ એન્ટિઓક્ષિડંટ છે જેને લીધે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસને કારણે થતો ચેપ લાગતો નથી. અને શ્વસન સંસ્થાન (રેસ્પિરેટરી સિસ્ટમ) દર્દો જેવા કે ઉધરસ, શરદી, સાઇનસ ભરાઇ જવા અને દમ જેવા દર્દો થતા અટકે છે.
7. હાયેટ્સ હર્નિયાને કારણે જે લોકોને જમ્યા પછી એસિડિટી અને છાતીમાં બળતરાની ફરિયાદ હોય છે તે લીંબુના પાણી પીવાથી જતી રહે છે.
8. લીંબુના પાણીથી તમારા હાથ અને પગની આંગળીના નખ મજબૂત થાય છે અને તેમાં સફેદ ડાઘા પડતાં બંધ થાય છે.
9. નિયમિત લીંબુનું પાાણી પીનારાને ”ફૂડ પોઇઝનિંગ” થવાની શક્યતા ઓછી થઇ જાય છે.
10. શરીરના સાંધાના દુખાવા માટે યોગાસન કે બીજી કસરત કરનારાઓને લીંબુનું પાણી નિયમિત પીવાથી સાંધાના દુખાવામાં જલદી રાહત થાય છે અને દુખાવામાં ઘણો ફેર પડે છે.
11. તમે જિમમાં કે ઘેર શરીરના મોટા સ્નાયુની કસરત થોડી વધારે કરી હોય ત્યારે લીંબુનું પાણી પીવાથી થોડીક વારમાં સ્નાયુનો દુખાવો ઓછો થઇ જાય છે.
12. લીંબુના પાણીથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઇ જાય છે એટલે ”ગાઉટ”ના દર્દીઓને રાહત થાય છે.
13. લીંબુનું પાણી પીવાથી શરીરનું સોડિયમ મીડિયમ આલ્કલાઇન થવાથી પેટના દર્દો જેવાકે પેટનો દુખાવો, ગેસ, ઊબકા અને ઉલ્ટી બંધ થઇ જાય છે.
14. લીંબુનું પાણી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે તેથી પેટ સાફ આવે છે અને કબજિયાતનો ડર રહેતો નથી.
15. નિયમિત લીંબુ પીવાથી તમારું બી.પી. ઓછું થાય છે.
16. લીંબુનું પાણી પીવાથી તેમાં રહેલા વિટામિન સીને કારણે તમારું મોં અને દાંત ચોક્ખા રહે છે અને અવાળા ફૂલી જતાં અટકે છે. મોંમાંથી આવતી વાસ (દુર્ગંધ) બંધ થઇ જાય છે.
17. લીંબુનું પાણી પીવાથી લીવરને શક્તિ મળે છે અને એંઝાઇમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેને લીધે તમારા ખોરાકની ચયાપચય ક્રિયા (મેટાબોલીઝમ) સારી રીતે થાય છે.
18. લીંબનું પાણી પીવાથી ચામડીના (ખસ, ખૂજલી અને ચકામાં)ના દર્દોમાં રાહત થાય છે.
19. લીબુનું પાણી પીવાથી તેમાં રહેલા એન્ટીઓક્ષીડંટને કારણે કેન્સર સામે રક્ષણ મળે છે.
20. રોજ લીંબુનો રસ પાણીમાં નાખીને પીવાથી આંખોની જોવાની શક્તિ સુધરે છે.
આ પણ વાંચો- ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો- કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો- આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો- વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…