![જમ્મુ-કાશ્મીર/ શોપિયા એન્કાઉન્ટરમાં સેનાનાં જવાનોએ 2 આતંકીઓને કર્યા ઠાર 3 118e23269b98e4d29f97db03fef7dc0f જમ્મુ-કાશ્મીર/ શોપિયા એન્કાઉન્ટરમાં સેનાનાં જવાનોએ 2 આતંકીઓને કર્યા ઠાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/10/118e23269b98e4d29f97db03fef7dc0f.jpg)
જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લાનાં સુગાન જૈનાપોરા વિસ્તારમાં, સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઓપરેશન હજી ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયુ હતુ.
આ પણ વાંચો – દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપે મચાવ્યો કહેર, જાણો હવે ક્યા અનુભવાયો આંચકો
છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા દળો કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરી રહ્યા છે. જેના કારણે આતંકવાદીઓમાં ડરનો માહોલ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. સેનાનાં જવાનોએ ઘાટીમાં ઘણા મોટા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ટોચનાં કમાન્ડરોની હત્યાને કારણે આતંકવાદી સંગઠનો ભયમાં છે. આતંકવાદીઓનાં ગઢ શોપિયાંમાં પણ તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
#UPDATE | Two terrorists killed in an encounter with security forces in Sugan area of Shopian; operation still underway: Jammu and Kashmir Police https://t.co/NlwaxLjq3Y
— ANI (@ANI) October 7, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.