બેંકો વસૂલશે બેવડો ચાર્જ ?
- ICICI બેન્ક-AXIS બેન્કે ખાતેદારોને મોટો ફટકો આપ્યો
- કેશ જમા કરાવવા કે ઉપાડવા પર સર્વિસ ચાર્જ વસુલશે
- રજાના દિવસે કેશ મશીનના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 50 ચાર્જ વસુલાશે
- નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર વસુલાશે ચાર્જ
- કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ
- આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે
- ચોથા ટ્રાન્ઝેક્શનમાંથી ટ્રાન્ઝેક્શનદીઠ રૂ. 150 ટ્રાન્ઝેક્શન ચાર્જ વસુલાશે
આઈસીઆઈસીઆઈ બેન્ક તથા એક્સિસ બેન્કે તેના ખાતેદારોને મોટો ફટકો આપ્યો છે. આ બેન્કોએ ખાતામાં કેશ જમા કરાવવા કે ઉપાડવા પર ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત બંને બેન્ક નોન-બિઝનેસ અવર્સમાં (કામકાજ સિવાયના કલાકોમાં) કે રજાના દિવસોમાં કેશ રિસાઈકલર કે કેશ ડિપોઝીટ મશીન દ્વારા નાણાં જમા કરાવવા કે ઉપાડવા પર ટ્રાન્જેક્શનદીઠ 50 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલી શકશે.
service charge / BOB એ સર્વિસ ચાર્જમાં વધારાનો નિર્ણય પાછો ખેંચ્યો…
કેસ ટ્રાન્જેક્શન ચાર્જીસની સાથે સાથે ICICI બેન્ક અને એક્સિસ બેન્કે ખાતેદારો બીજા ફણ મોટો ફટકોઓ આપ્યા છે. જી હા, કેશ જમા કરાવવા કે ઉપાડવા પર તો સર્વિસ ચાર્જ વસુલશે જ પણ સાથે સાથે નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસુલાશે. કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ, આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે અને ચોથા ટ્રાન્ઝેક્શનમાંથી ટ્રાન્ઝેક્શનદીઠ રૂ. 150 ટ્રાન્ઝેક્શન ચાર્જ વસુલાશે.