મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજ્ય સરકાર દ્વારા થઇ છે વિચારણા
- ગુજરાત આવતા લોકો માટે ફરજિયાત ટેસ્ટિંગ કરવા વિચારણા
- ગઇકાલે મહારાષ્ટ્રે કર્યો હતો આ પ્રકારનો નિર્ણય
- ગુજરાત પણ મહારાષ્ટ્રનાં માર્ગે
- બહારથી આવતા મુસાફરોનો ટેસ્ટ કરવા થઇ શકે છે નિર્ણય
- મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને મળશે બેઠક
- આજે બેઠકમાં નિર્ણયની શકયતા
મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે ફરજિયાત કોરોના ટેસ્ટીંગની જાહેર કરવામાં આવતા, ગુજરાત સરકાર પણ મહારાષ્ટ્રનું આ પગલું અનુસરવા વિચારી રહી છે. જી હા, કોરોના સંક્રમણ વધતા ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં ફરજીયાત ટેસ્ટીંગનું વિચારાઘીન છે. રાજ્ય સરકાર દ્વારા વિચારણા થઇ છે કે, ગુજરાત આવતા લોકો માટે ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવે ગુજરાત બહારથી આવતા મુસાફરોનો ટેસ્ટ કરવામા આવે કે નહી તે નિર્ણય માટે મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને મળનાર બેઠકમાં લેવામાં આવશે. ફરજીયાત ટેસ્ટનો નિર્ણય લેવામાં આવે છે, તો રાજ્યમાં પ્રવેશ પહેલાં RT-PCR ટેસ્ટ ફરજિયાત બનશે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવનારને પ્રવેશ આપવામાં નહીં આવે. RT-PCR ટેસ્ટ નેગેટિવ આવનારને અપાશે પ્રવેશ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….