ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા કહેતું ઉપર થોપવામાં આવેલા ત્રણ કાયદાના વિરોધમાં રાજ્ય્ભમાં વિરોધ નોધાવવામાં આવ્યો હતો. અને ઠેરઠેર રેલીનું આયોજ કરવામાં આવ્યું હતું.
કશોરભાઈ દેસાઈ, ગોપાલ ઇટાલયા ની આગેવાનીમાં સુરત અને ભેમાભાઈ ચૌધરી અને રમશે ભાઈ નાભાણીની આગેવાનીમાં બનાસકાંઠા માં રેલી કાઢવામાં આવી હતી. તો અમદાવાદ ખાતે રાકેશભાઈ અને અમજદખાન પઠાણ દ્વારા રેલીની આગેવાની કરવામાં આવી હતી.
ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો. તો સાથે જુદાજુદા બેનર અને સ્લોગન સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. અને જણાવવામાં આવ્યું હતું કે ત્રણેય કાયદા ખેડૂત વિરોધી છે. અને લાંબા ગળે ખેડૂતોને નુકશાન કારક છે. તાત્કાલિક અસરથી આ કાયદા સરકાર કરે તેવી માંગ કરવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…