@મોહસીન દાલ, ગોધરા
ગોધરા સ્થિત સેશન્સ અદાલત અને સ્પે.એ.સી.બી. કોર્ટમાં રજુ કરવામાં આવેલ ચાર્જશીટ બાદ ગીરીજાશંકર સાધુ દ્વારા મુકવામાં આવેલ રેગ્યુલર જામીન અરજીને પણ અદાલત દ્વારા ના મંજુર કરવામાં આવતા વહીવટી તંત્રમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
ગોધરા સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ગીરીજાશંકર સાધુ એ પોતાના સત્તાકાળની ફરજો દરમ્યાન પ્રદુષણને નિયંત્રણ કરવાના વહીવટમાં ભ્રષ્ટાચાર ઉભા કરતાં આ પ્રદુષણમાં તેઓ ગોધરા એ.સી.બી.ના હાથે ₹ ૧.૨૦ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. ત્યાર બાદ ગોધરા એ.સી.બી. કચેરીમાં તેઓ સામે લાખ્ખો રૂપીયાની અપ્રમાણસર મિલકતોનો વધુ એક ગુન્હો દાખલ થતા ફરાર થઈ ગયેલા આ વર્ગ -૧ના અધિકારી ગીરીજાશંકર સાધુની એ.સી.બી. દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૦ ના રોજ ભુજ ખાતેથી ધરપકડ કરી હતી. બસ ત્યાર થી જયુડિશ્યલ કસ્ટડી માંથી જામીન મુક્ત થવા માટે સતત પ્રયાસો કરી રહેલા આ ગીરીજાશંકર સાધુ સામે ચાર્જશીટ રજુ થયા બાદ જામીન મળી જશે આ આશાઓ ઉપર પાણી ફેરવી દેતા આપેલા અદાલતના ચુકાદામાં રેગ્યુલર જામીન અરજી પણ ના મંજુર કરવામાં આવ્યા છે.
રાજકોટ / આવો મળીએ કરોડપતિ ચોરને જે ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો…
પંચમહાલ / ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા…
dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …
નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…