Ahmedabad/ ગૃહમંત્રી અમિત શાહે થલતેજ- શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે અને રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. જેમાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે.

Ahmedabad Gujarat

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે અમદાવાદમાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઉપરના રેલ્વે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઓવરબ્રીજનું નિર્માણ રૂ. ૫૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે અને રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. જેમાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે.

આ ઓવરબ્રીજ બનતા પહેલા ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહેતી હતી, જેના કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા, પરંતુ હવે આ રેલવે ઓવરબ્રિજ બની જતા તમામ લોકોને રાહત મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો