ઓરિસ્સામાં ચાલી રહેલા મેસેજ ઇન્ડિયા કોન્ટેસ્ટના પરિણામે જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટાઈટલનો ખિતાબ રાઉરકેલાની કોમ્પ્યુટર એન્જીનીયર નવદીપ કૌરને પ્રાપ્ત થયો છે. બીજા સ્થાન પર રહી અને મિસ ઈન્ડિયા ગેલેક્સીનો ખિતાબ ડો.અનુપ્રીત કૌરને જ્યારે ત્રીજો પુરસ્કાર ગૌહાટીની વિંગકમાન્ડર શ્રુતિ ચૌહાણને પ્રાપ્ત થયો છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલી નવદીપ પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્ષેત્રે પોતાની કંપની શરૂ કરવા માંગે છે. નવદીપ રાઉરકેલાની હોટલ વ્યવસાયિક જગદેવસિંહની એકમાત્ર પુત્રી છે.
kumbhmela / હરિદ્વારમાં કુંભમેળામાં જવા માટે યાત્રાળુઓને RTPCR ટેસ્ટ ફરજીયાત, 72 કલાક પહેલા રિપોર્ટ જરૂરી
31 વર્ષીય નવદીપ કૌરે જણાવ્યું હતું કે સેમિફાઇનલ માટે દેશભરમાંથી એક્સલ સ્પર્ધકો જોડાયા હતા. 17 જાન્યુઆરીએ મુંબઈની તાજ હોટલમાં પહોંચી અને તેઓ રોકાયા હતા. 18મીએ દમણ સ્થિત ડેલ્ટીન રિસોર્ટમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ માટે જવું પડ્યું હતું.ત્યારથી જ તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી હતી. દરેક ક્ષેત્રમાં તેમને માર્કસ આપવામાં આવી રહ્યા હતા. જેમાંથી ફાઇનલ માટે 20 ને પસંદગી પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ 5 ને, ફરીથી અંતિમ ૩ ને ખિતાબ માટે પસંદ કરવામાં આવ્યા હતા.23 જાન્યુઆરીના દિવસે છેલ્લો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. આ કોન્ટેસ્ટના નિર્ણાયક તરીકે સોહા અલી ખાન, વિવેક ઓબેરોય, ડિઝાઇનર મોસમી, ડેલ્ટીનના નિર્દેશક મોહિની શર્મા, મિસ વર્લ્ડ શ્રીલંકાની કારોલિના જુરી પણ ઉપસ્થિત હતી.
Political / નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ, PM ઓલીને પાર્ટીમાંથી હટાવાયા
મોબાઇલ પર તાલીમ આપવામાં આવી
નવદીપ કૌરને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને ટાઇટલ જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. નવદીપે કહ્યું કે તેણે આ વિશે ક્યારેય વિચાર્યું પણ નથી. ઘરમાં હોવાથી, અચાનક, સપ્ટેમ્બરમાં, મીસીસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં માટે રજિસ્ટ્રેશન શરૂ થયું. ઓક્ટોબરમાં તે સેમિ-ફાઇનલ માટે પસંદ કરવામાં આવી હતી. ઓક્ટોબરથી, ઘરે રહીને અને રોજ ત્રણ કલાક લેપટોપ અને મોબાઈલ પર વિવિધ પ્રકારની તાલીમ પ્રાપ્ત કરી હતી. દરરોજ તેના માટે પ્રેક્ટિસ કરવી પડી હતી.
Covid-19 / કાબુમાં દેખાઇ રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…