સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, હાલના સમયમાં હું કોઈ નવી પાર્ટી બનાવવા જઈ રહ્યો નથી.
આ દરમિયાન તેમણે અખિલેશને લઈને કહ્યું હતું કે, તે મારો છોકરો છે અને મારાં આશીર્વાદ તેની સાથે છે, પરંતુ હું તેના નિર્ણયોની સાથે સહમત નથી.
મુલાયમસિંહ યાદવે વધુમાં કહ્યું હતું કે, અખિલેશ વચનનો પાક્કો નથી, તેણે પિતાની સાથે દગો કર્યો છે. તે ક્યારેય સફળ થઈ શકે નહીં.
આ દરમિયાન બનારસ હિંદુ યુનિવર્સિટીમાં છોકરીઓ ઉપર થયેલા લાઠીચાર્જને લઈને કહ્યું હતું કે, બીએચયુમાં છોકરીઓ સુરક્ષિત નથી, યુપીમાં કાયદાનું શાસન ખતમ થઈ ગયું છે.