બિહારની રાજધાની પટણામાં એક ચોંકાવનારી ઘટના છે. જેના કારણે સમગ્ર વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા છે. આ ઘટના પટનાના પરસા બજાર પોલીસ સ્ટેશન હેઠળના સકરાચા ગામની છે. જ્યાં એક વહુએ સાસુની હત્યા કર્યા બાદ પોતાને આગ ચાંપી દીધી છે. જ્યારે આગથી લપેટાયેલી મહિલા ઘરની બહાર આવી ત્યારે ગામના લોકો ચોંકી ગયા હતા. ગામલોકોને તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગામ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પુત્રવધૂ આરતી દેવીએ તેની સાસુ ધર્મશીલા દેવીની નિર્દયતાથી હત્યા કર્યા બાદ પોતાને આગ ચાંપી દીધી હતી.
બહુ આરતી કુમારીએ પોતાને આગ ચાંપી દેતા પહેલા તેની સાસુની હત્યા જ નહીં સાથે તેમની આંખો પણ કાઢી લીધી હતી અને બાદમાં દિલ ભરાયુ નહીં તો તેની આંગળીઓ પણ કાપી નાખી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમસીએચ મોકલી આપ્યો હતો. બીજી તરફ ઘાયલ પુત્રવધૂ આરતી કુમારીને પીએમસીએચમાં દાખલ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સકરાઇચા ગામમાં રહેતા રાજકુમાર સાવના ઘરે પારિવારિક વિવાદને કારણે પત્ની અને તેની વહુ આરતી વચ્ચે વારંવાર ઝઘડો થયો હતો. આ વિવાદના કારણે પુત્રવધૂ આરતીએ તેની સાસુ ધર્મશીલા દેવીની હત્યા કરી હતી. પુત્રવધૂનો તેની સાસુ પ્રત્યેનો ગુસ્સો એટલો હતો કે હત્યા કર્યા બાદ તેણે તેની આંખ ખેંચી લીધી હતી અને હાથની આંગળી પણ કાપી નાખી હતી. પછી બહુ આરતીએ પણ પોતાને આગ ચાંપી દીધી હતી.
પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. લલિતા દેવી મા નહીં બનવાને કારણે સાસુ તેને પરેશાન કરી હતી જેનાથી કંટાળીને લલિતા દેવીએ હત્યાને અંજામ આપ્યો.