Election/ રાજ્યસભાની ચૂંટણી ભાજપ માટે આસાન, અલગ-અલગ મતદાનનાં કારણે ચૂંટણી માત્ર ઔપચારિક

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણી 1 માર્ચે યોજવાની જાહેરાત કરી છે.

Gujarat Others

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણી 1 માર્ચે યોજવાની જાહેરાત કરી છે. દરમિયાન રાજ્યસભાની 2 બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણી માત્ર ને માત્ર ઔપચારિક જ બની રહેશે.

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં 2 સાંસદોના નિધનના પગલે પેટાચૂંટણી યોજવાની જરૂર પડી છે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020 નાં રોજ અવસાન થયું હતું. તેઓનો રાજ્યસભામાં કાર્યકાળ 18 ઓગસ્ટ -2023 નારોજ પૂર્ણ થતો હતો. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું 1 ડિસેમ્બર – 2020ના રોજ અવસાન થયું હતું. તારીખ-21-જૂન-2026ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થતો હતો. પરિણામે આ બંન્ને બેઠક પર પેટાચૂંટણી યોજાશે. કેન્દ્રીયચૂંટણીપંચે બંન્ને બેઠકો માટે એક જ દિવસ તારીખ-1 માર્ચ પરંતુ અલગ-અલગ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે અલગ મતદાનનો સીધો રાજકીયલાભ ભાજપને થશે. કારણ કે કોંગ્રેસ પાસે અલગૃ-અલગ મતદાનના પગલે જીતી શકે તેટલું સંખ્યાબળ થતું નથી. જ્યારે વિધાનસભાગૃહમાં 111 સભ્યો સાથે ભાજપનું સંખ્યાબળ બહુમતીમાં હોવાથી અને અલગ મતદાનના કારણે ભાજપને સીધો ફાયદો થશે.

રાજ્યસભાની બેઠક – 2 ( અલગ-અલગ મતદાન)

  • ગુજરાત વિધાનસભાની કુલ બેઠક – 182
  • વિવાદિત બેઠક – 2
  • 180/2  =  90
  • 90 + 1 = 91 એક બેઠક જીતવા માટે જોઇએ
  • કોંગ્રેસ પાસે 65 બેઠક + 1 =  66 મત છે
  • ભાજપ પાસે 111 બેઠક + 1 = 112  મત છે
  • 22 મત કોંગ્રેસ પાસે વધુ છે
  • અલગ મતદાન હોવાથી ભાજપ બંન્ન બેઠક મેળવે

ગતવર્ષ-2019માં પણ રાજ્યસભાની ચૂંટણી 4 બેઠકો માટે યોજાઇ ત્યારે પણ એકસાથે ચૂંટણી યોજવાના નિર્ણયને સુપ્રિમ સુધી પડકારવામાં આવ્યો હતો. ત્યારેપણ અલગ-અલગ મતદાનના કારણે કોંગ્રેસને ફાળે સંખ્યાબળના કારણે બે નાસ્થાને માત્ર એક જ બેઠક આવી હતી. ત્યારે હવે આ રાજ્યસભાની ચૂંટણીમાં પણ અલગ-અલગ મતદાનનો સીધો ફાયદો ભાજપને થશે. હાલ સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી સાથે રાજ્યસભાની ચૂંટણી આવી છે. ત્યારે કોંગ્રેસના વલણ ઉપર સૌની નજર રહેશે. પરંતુ ચૂંટણીપંચના હાલના અલગ-અલગ મતદાન યોજવાના નિર્ણયના કારણે રાજ્યસભાની 1 માર્ચે આયોજીત ચૂંટણી માત્ર ઔપચારિક્તા જ બની રહેશે.

Election: સુરત ભાજપમાં વધુ એક ભડકો, મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજએ નોંધાવ્યો વિરોધ

Election: રાજકોટમાં મહિલા અનામત આવે તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયા પ્રબળ દાવેદાર, સૂત્રોમાં ચર્ચા

Election: જામનગર ભાજપમાં એક બાદ એક રાજીનામા, ટિકિટ ફાળવણીમાં અસંતોષથી ભાજપમાં ભડકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો