પશ્ચિમ બંગાળના નંદિગ્રામમાં રાજ્યના સીએમ મમતા બેનર્જી પર થયેલા હુમલા અંગે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) દ્વારા પણ ચૂંટણી પંચ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હવે કમિશને ટીએમસીના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી પરંતુ તે કહેવું ખોટું હશે કે ચૂંટણીપંચે રાજ્યની કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી સંભાળી લીધી છે.
Dandi Yatra / આજે અમદાવાદમાં દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન મોદી, શું છે ઘટનાક્રમ
ડેમોક્રેસી પર ખતરો ? / રાહુલનું નિવેદન- ભારત હવે લોકતાંત્રિક દેશ નથી રહ્યો, ભાજપનો પ્રહાર- એજન્ટ જેવું કામ કરી રહ્યા છે યુવરાજ
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ ઘટનાની તાકીદે તપાસ કરવાની જરૂર છે. જણાવી દઈએ કે ટીએમસીએ નંદીગ્રામની ઘટના અંગે કમિશનને પત્ર લખ્યો હતો.
આજે પાર્ટીનું સંસદીય પ્રતિનિધિ મંડળ નંદિગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પરના કથિત હુમલા સંબંધિત ચિંતાઓને લઈને દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીઓને મળશે. પક્ષ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે સંસદના બંને ગૃહોના તૃણમૂલ કોંગ્રેસના છ સાંસદો આ પ્રતિનિધિ મંડળમાં જોડાવા માટે દિલ્હી પહોંચશે.
Corona Update / કોરોનાનો અન્ય રાજ્યો સહિત ગુજરાત પર પણ કહેર, આજે નોંધાયા આટલા કેસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…