મહારાષ્ટ્રના પૂણેમાં મોડી રાત્રે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અનેક દુકાનોમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે 11 વાગ્યે ફેશન સ્ટ્રીટ માર્કેટમાં આગની ઘટના અંગે કોલ આવ્યો હતો. આ પછી તરત જ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જ્વાળાઓ એટલી વધુ હતી કે ઘણી બધી દુકાનો તેમાં સળગી ગઈ હતી.
આ પણ વાંચો :કોરોનાના વધતા કહેર પર સરકાર ફરીથી હરકતમાં, તહેવારોને લઈને તમામ રાજ્યોને લખ્યો ચેતવણી પત્ર
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પુણેના ફાયર ડિપાર્ટમેન્ટે જાણકારી આપી છે કે આગને કાબૂમાં લેવામાં આવી છે. હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ હોકર્સ અને દુકાન માલિકોને તેમની દુકાનો બળીને ખાક થઇ જતા ભારે નુકસાન થયું છે.
મુખ્ય ફાયર ઓફિસર પ્રશાંત રાનિપે જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવવા માટે લગભગ 16 ફાયર ટેન્ડર અને 2 પાણીના ટેન્કર હાજર હતા. ખૂબ જ મહેનત બાદ રાત્રે 1:06 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી. જો કે, ઠંડક કામગીરી હજુ પણ ચાલુ છે અને 10 અધિકારીઓ સહિત 60 ફાયર અધિકારીઓ સ્થળ પર છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં 28 માર્ચથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત, ઉદ્ધવ બોલ્યા- કડકાઇથી લાગૂ થાય કોરોનાના નિયમો
આ અગાઉ મુંબઈના એક મોલમાં સ્થિત હોસ્પિટલમાં આગને કારણે કોરોના વાયરસથી સંક્રમિત નવ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બૃહમ્મુબાઈ મેટ્રોપોલિટન પાલિકા (BMC) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આગ બાદ તમામ નવ દર્દીઓ ગૂંગળામણને કારણે મોત થયા હતા, જ્યારે આગ શરૂ થતાં પહેલા કોરોના વાયરસના કારણે બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જોકે, હોસ્પિટલનો દાવો છે કે આગની ઘટનાના કારણે દર્દીઓના મોત નથી થયા.
આ પણ વાંચો : દેશનો વિકાસ ઠપ, ફક્ત મોદીની દાઢી વધી રહી છે…મગજનો સ્ક્રૂ ઢીલો થઇ ગયો છે, મમતા બેનર્જીની જીભ લપસી