એર ઈન્ડિયાનાં પાયલોટ્સે ધમકી આપી છે કે જો રસીકરણ શિબિર નહી બનાવવામાં આવે તો તેઓ કામ બંધ કરી દેશે. એર ઈન્ડિયા પાયલોટ યુનિયન અને ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ્સ એસોસિએશન-આઈસીપીએ તેમના ડિરેક્ટર (ઓપરેશન્સ) ને પત્ર લખીને પૂછ્યું છે કે, જો એર ઇન્ડિયા પ્રાથમિકતાનાં આધાર પર 18 વર્ષથી વધુ વયાનાં ક્રૂ મેમ્બર્સ માટે દેશભરમાં રસીકરણ શિબિર લગાવવામાં નિષ્ફળ જાય, તો તેઓ કામ બંધ કરશે.
બ્રેકિંગ ન્યૂઝ / બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય
એર ઇન્ડિયા એરબસ પાયલોટે તેના મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે, જો તેમને પ્રાથમિકતાનાં ધોરણે કોરોના રસી નહી મળે તો તેઓ કામ કરવાનું બંધ કરી દેશે. પાયલોટ્સનાં યુનિયન, ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ્સ એસોસિએશને મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે, જો ક્રૂ સભ્યોને એર ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય રસીકરણ શિબિર લગાવીને રસી ન અપાવવામાં આવી તો તેઓ કામ બંધ કરશે. ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સને લખેલા પત્રમાં, એર ઈન્ડિયાનાં પાયલોટ્સને કહેવામાં આવ્યું છે કે, મેનેજમેન્ટ દ્વારા તેમને ફ્રન્ટલાઈન વર્કર ગણાવીને રસી આપવામાં આવી નથી. પાયલોટ એસોસિએશને કહ્યું કે, ક્રૂ મેમ્બર્સ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યા છે અને ઓક્સિજન સિલિન્ડરો માટે તડપતા રહ્યા છે. પાયલોટ્સ કહે છે કે, રોગચાળા દરમિયાન તે રસી વિના જીવનનું જોખમ ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, પાયલોટ્સે કહ્યું કે, લોકો ડેસ્ક જોબ કરે છે અને જે ઘરેથી કામ કરી રહ્યા છે તે લોકોને રસી આપવામાં આવી રહી છે, પરંતુ ક્રૂ મેમ્બર્સને છોડી દેવામાં આવ્યા છે જેમને કોરોનાનું જોખમ વધારે છે. પાયલોટ્સે તેમના પત્રમાં લખ્યું છે કે, ‘આ હ્રદયસ્પર્શી વાત છે કે ટોચનાં મેનેજમેન્ટે પાયલોટ્સને જોખમની વચ્ચે કામ કરતા છોડી દીધા છે. અમને આશા છે કે એર ઈન્ડિયા તરફથી ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારોને રસી વિના નહીં છોડવામાં આવે, જેઓ આ સંકટ દરમિયાન રાષ્ટ્ર સાથે ઉભા રહીને કામ કર્યુ છે.’
Air India pilot union, Indian Commercial Pilots Association (ICPA) writes to its Director (Operations), stating, "If Air India fails to set up vaccination camps on a pan India basis for the flying crew above the age of 18 years on priority, we will Stop Work." #COVID19
— ANI (@ANI) May 4, 2021
ગુજરાત હાઇકોર્ટ / સરકારે ટેસ્ટ ઘટાડયા એટલે કેસ ઓછા દેખાય છે, હાઇકોર્ટમાં એડ્વોકેટ્સ એસોસિયેશનની રજૂઆત
આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો સતત રોગચાળોનો સામનો કરી રહ્યા છે. જોકે, સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણનાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે કોરોનાનાં 3 લાખ 57 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાનાં કુલ કેસ 2 કરોડનાં આંકને વટાવી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,400 થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. એક સાથે, દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 2,22,408 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,57,229 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે, કેસની કુલ સંખ્યા 2,02,82,833 પર પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે સતત ત્રીજા દિવસે પણ કોરોનાનાં કેસો નીચે આવ્યા છે. પાછલા દિવસ એટલે કે સોમવારની વાત કરીએ તો, કોવિડ-19 નાં 3,68,147 નવા કેસ આવ્યા હતા. અગાઉ, 2 મે નાં રોજ 3,92,488 નવા દર્દીઓ મળી આવ્યા હતા. પરંતુ 1 મે નાં રોજ, દેશમાં સંક્રમણ રેકોર્ડ તોડીને 4 લાખને પાર કરી ગયો હતો. 1 મે નાં રોજ, સંક્રમણનાં 4,01,993 નવા કેસ નોંધાયા હતા.

