જેની ગંભીર બીમારી અને માસૂમિયત પર સમગ્ર ગુજરાતમાં બહોળા પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવ્યા બાદ લોકોએ મોકળા મને દાન આપ્યું હતું તે મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો માત્ર 3 મહિનાનો માસૂમ બાળક ધૈર્યરાજસિંહ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યો છે.મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવાની જરૂર હતી. આ બાળકને નવજીવન મળે તે માટે મંતવ્ય ન્યુઝનાં માધ્યમથી અપીલ કરવામા આવી હતી. 16 કરોડ 3 લાખ એકઠાં થયા છે. જેથી હવે ધૈર્યરાજ માટે ઈન્જેકશન આવી ગયું છે. મુંબઈ ખાતે ધૈર્યરાજને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. આજે મુંબઈ ખાતેની હોસ્પિટલમાં 16 કરોડનું ઈન્જેકશન લગાવવામાં આવશે. મંતવ્યન્યુઝની ઝુંબેશ રંગ લાવી છે. હવે ધૈર્યરાજની સારવાર થશે અને સ્વસ્થ બનશે.
આ ઘટનાની જાણ થયા બાદ સમગ્ર ગુજરાતીઓ ઘરે ઘરે તે સાજો થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.સમગ્ર ગુજરાત વાસીઓના કાળજાના કટકા બનેલા આ લાડક ધૈર્ય રાજને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી ઘણા દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 16.3 કરોડની માતબર રકમ આવી છે.
રાજદીપસિંહ રાઠોડના પુત્ર ધૈર્યરાજની ઉંમર માત્ર 3 મહિનાની છે. બાળક તંદુરસ્ત છે, પરંતુ જન્મના દોઢ મહિનામાં શારીરિક પરિવર્તન જોતા દુર્લભ બીમારીના લક્ષણો જાણવા મળ્યા. ધૈર્યરાજ સિંહને સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી (એસએમએ)નામની એક દુર્લભ બીમારી છે. આ બીમારીની ભારતમાં સારવાર શક્ય નથી અને તેની સારવાર માટે જરૂરી ઈન્જેક્શન વિદેશથી મંગાવવું પડે છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાં છે. આટલું જ નહીં, તેના પર લગભગ 6 કરોડ રૂપિયાનો ટેક્સ પણ લાગે છે. આમ તેની કિંમત 22 કરોડ રૂપિયા થઈ જાય છે. જો કે મધ્યમવર્ગીય પરિવારના આ બાળક માટે ગુજરાત સહિત દેશ – વિદેશમાંથી મદદના હાથ ઉઠવા લાગ્યાં હતા.
રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરી હતી. અને પૂરતું ફંડ એકઠુ થયું હતું. આજે અમેરિકાથી આવેલું ઈન્જેક્શન ધૈર્યરાજને આપવામાં આવશે.