ભારતમાં કોરોના કેસો ખુબ વધી રહયા છે ,જેના લીધે કોરોનાથી મોતનો દર પણ ખુબ વધી રહ્યો છે.જે ચિંતાજનક બાબત છે.કોરના સ્થિતિ દેશમાં ગંભીર છે.કોરોનાને રોકવા માટે હાલ વેક્સિન જ ઉપાય છે.દરેક રાજ્ય વેક્સિન લગાવવા માટે આયોજ કરી હી છે.કોરોના વેક્સિન ઝડપથી દેરક જિલ્લામાં પહોચે તે માટે તેલંગાણાએ વેક્સિનની ડિલીવરી ડ્રોનથી કરશે.
તેલગાંણા સરકારે ડ્રોનથી વેક્સિન ડિલીવરી માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી હતી,આ મંજૂરી કેન્દ્ર સરકારે સત્વરે આપી દીધી હતી.હવે તેલગાંણામાં વેક્સિની ડિલીવરી ડ્રોનથી કરવામાં આવશે. આ મામલે મંત્રાલયે જણાવ્યું હતું કે તેલંગાણા સરકારને માનવરહિત વિમાન પ્રણાલી નિયમ 2021ની શરતે મજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી એક વર્ષ અથવા આગામી આદેશ સુધી માન્ય હશે. તેલંગાણાને ડ્રોનથી વેક્સિનની ડિલીવરીની મંજૂરી મળતા હવે દૂર દૂર ગામડાં સુધી વેક્સિન પહોચાડવામાં આવશે.ડ્રોનના લીધે અવરજવર ઝચપી થશે અને વેક્સિન ઝડપથી લોકો સુધી પહોચશે. સમયનો સદઉપયોગ થશે.પહેલી મે થી કોરોના વેક્સિનનો ત્રાજાે તબ્બકો શરૂ થઇ ગયો છે. 18 વર્ષથી વધુ લોકોને વેક્સિન લગાવવાનું શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે તેલગાંણા સરકારને ડ્રોનથી વેક્સિનની મંજૂરી મળી છે,મે ના અંત સુધીમાં સરકાર ડ્રોનથી વેક્સિન ડિલીવરી કરશે.