ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સ્થિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) માં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. છેલ્લા ૧૮ દિવસમાં ૧૭ કાર્યકારી પ્રોફેસરના મોત થયા છે. શુક્રવારે લો ફેકલ્ટીના ડીન પ્રોફેસર શકીલ સમદાનીનું અવસાન થયું છે. જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી. ડાયાબિટીઝ વધવાના કારણે તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચિંતાજનક બાબત એ છે કે કોરોના એએમયુના 17 કાર્યકારી પ્રોફેસરોને 18 દિવસમાં કોળીયો કરી ગયું છે. એએમયુ માં પહેલું મોત ભૂતપૂર્વ પ્રોક્ટર અને ડીન વિદ્યાર્થી કલ્યાણ પ્રોફેસર જમશેદ અલી સિદ્દીકીનું 20 એપ્રિલના રોજ થયું હતું. આ તમામ પ્રોફેસરો અલીગઢ શહેરમાં જુદા જુદા સ્થળોએ રહેતા હતા.
સામદાની સામાજિક કાર્યોમાં સક્રિય હતા
પ્રોફેસર શકીલ સમદાની અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય હતા. તેમને 10 દિવસ પહેલા અલીગઢ યુનિવર્સિટીના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ (જેએનએમસી) ના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમદાની ડાયાબિટીઝ અને હાયપરટેન્શનથી પીડિત હતા. અચાનક, આજે તેનું મૃત્યુ થયું હતું. તેઓ સામાજિક કર્યો અને અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.
આગલા દિવસે બે પ્રોફેસરોનું મોત નીપજ્યું હતું
શુક્રવારે મેડિકલ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શાદબ અહમદ ખાન (58 વર્ષ) અને કમ્પ્યુટર વિભાગના પ્રોફેસર રફીકુલ ઝમાન ખાન (55 વર્ષ)નું પણ મોત થયું હતું. તે જ સમયે, કુલપતિ મન્સૂરના ભાઈ ઉમર ફારૂકનું પણ કોરોનાથી અવસાન થયું છે.
તેઓ યુનિવર્સિટી કોર્ટના ભૂતપૂર્વ સભ્ય અને મોહમ્મદન શૈક્ષણિક પરિષદના સભ્ય હતા. જેએનએમસીના કોવિડ વોર્ડમાં ફેકલ્ટીના સભ્યો સહિત 16 લોકોની સારવાર ચાલી રહી છે.
આ યુનિવર્સિટીનો સૌથી ખરાબ સમય છે
તે જ સમયે, 10 નિવૃત્ત ફેકલ્ટીનું પણ મોત નીપજ્યું છે. કાનપુરમાં ચાર ફેકલ્ટીના મોત નીપજ્યાં છે. પ્રો. આફતાબ આલમે કહ્યું છે કે યુનિવર્સિટી માટે આ ખૂબ જ ખરાબ તબક્કો છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલા આટલા લોકોનું એકસાથે મોત નીપજ્યું તે પહેલાં ક્યારેય આવું બન્યું નથી.