વધુ એક અધિકારીનો કોરોનાએ લીધો ભોગ
IAS ગિરીશ શાહનું સારવાર દરમિયાન મોત
દોઢ માસથી ચાલી રહી હતી કોરોનાની સારવાર
ગિરીશ શાહ રહી ચૂક્યાં છે પોરબંદરના કલેક્ટર
પણ કલેક્ટર પદે નિભાવી છે ફરજ,
પહેલાં ભાવનગર
બાદમાં અમદાવાદમાં સારવાર,
43 દિવસની લડત પછી પણ ન બચ્યો જીવ
એડેમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી નિવૃત હતા શાહ
કોરોના કાળમાં અને પોલીસ અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના આઇએએસ અધિકારીઓ કોરોનાની ઝપેટમાં ચડી અને બીમારી સબબ નિધન થયું હોવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા હતા તેમાં વધુ એક ઉમેરો થયો છે. નિવૃત્ત આઈએએસ અધિકારી ગિરીશ શાહ પણ કોરોનાનો શિકાર બન્યા હતા.ગિરીશ શાહ પોરબંદરના અને ડાંગના પણ કલેક્ટર પદે ફરજ નિભાવી ચુક્યા છે.હાલમાં તેઓ એડેમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી નિવૃત હતા.
કોરોના સંક્રમિત થયા બાદતેઓની પહેલાં ભાવનગરમાં સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદમાં અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી.કોરોનાનાના કારણે તેઓ બીમાર હતા દોઢ માસથી તેઓની અમદાવાદની એપીક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમને આપવામાં આવી રહેલી એકમો ટ્રીટમેન્ટ પણ અંતે કામ લાગી ન હતી.
43 દિવસની લડત પછી પણ જીવ બચ્યો ન હતો.અંતેતેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા. ગઈકાલે કાલે 08:15 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના અકાળે થયેલા નિધનથી તેમના પરિવાર અને બહોળા મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે.