વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ
ગોંડલ ની સૈનિક સોસાયટીમાં રહેતાં અને રાજકોટ સ્પા ચલાવતાં ક્ષત્રીય યુવાન ની કરપીણ હત્યા નાં નાશી છુટેલાં હત્યારાઓને પોલીસે બનાવ નાં સવા મહીના બાદ હરિદ્વાર થી ઝડપી લઇ કાયઁ વાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.21 ની ગત તા.25 એપ્રીલ નાં તિક્ષણ હથીયાર નાં 30 થી વધું ઘા મારી નિમઁમ હત્યા કરાઇ હતી.
જ્યાં સાદા ડ્રેસ માં હત્યારાઓ ની શોધખોળ શરૂ કરતાં ભારત માતા નાં મંદિર પાસે પાંચ માં ઘાટ પર નજરે પડતાં ત્રણેય હત્યારાઓને દબોચી લઇ ગોંડલ પરત ફર્યા હતાં.પોલીસે આરોપીઓ નાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
ગત જાન્યુઆરી માં ગોંડલ નાં રામદ્વાર પાસે એસટી બસ પર થયેલ પત્થરમારા ની ઘટનાં માં પોલીસે જયવિરસિહ સહીત નાં ને પકડયાં હોય પોલીસ ને અજયસિંહે બાતમી આપી હોવાની શંકા સાથે ખાર રાખી તિક્ષણ હથીયાર વડે તેની હત્યા કરાઇ હતી.બાદ માં પત્થર સાથે તેનાં મૃતદેહ ને દોરડાં થી બાંધી નાગડકા રોડ પર કુવા માં નાંખી દેવાયો હતો.
અજયસિંહ લાપતા બનતાં બનાવ નાં બે દિવસ બાદ તા.27 તેનાં પરીવાર દ્વારા સીટી પોલીસ માં ગુમ સુધા ફરીયાદ કરાઇ હતી.અને તા.28 તેની લાશ કુવામાંથી મળી આવી હતી.
પોલીસ ફરીયાદ માં શકમંદ તરીકે ઉપરોક્ત શખ્સો નો ઉલ્લેખ કરાયો હોય પોલીસે એક સગીર આરોપી ને જડપી લઇ પુછપરછ હાથ ધરતાં હત્યા નો ભેદ ખુલવાં પામ્યો હતો.
દરમ્યાન હત્યા માં સંડોવાયેલા જયવિરસિહ,સચીન અને વિવેક ઉર્ફે ટકો પલાયન થઇ હરિદ્વાર પંહોચ્યા હતા.અને છેલ્લા વિસ દિવસ થી અલગઅલગ આશ્રમ અને અન્નક્ષેત્રો માં આશરો લીધો હતો.
હરિદ્વાર માં અનેક આશ્રમ અને ઘાટ હોય એક તબક્કે હત્યારાઓને શોધવાં પોલીસ માટે કઠીન બન્યું હતું.પરંતું પીએસઆઇ ડી પી ઝાલા ની કુનેહ તથાં ટેકનીકલ તપાસ રંગ લાવી હોય તેમ હત્યારાઓ ઝડપાઇ ગયાં હતાં.