ઉત્તર પ્રદેશના ગરીબ હિંદુઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મોટો ખુલાસો થયો છે. એટીએસ લખનૌએ આ કેસમાં બે મૌલાનાની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે બંનેએ અત્યાર સુધીમાં 1000 થી વધુ ગરીબ હિન્દુઓને ધર્માંતરિત કર્યા છે.
આ મામલે માહિતી આપતાં એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું છે કે એક મોટી ગેંગ ધર્મ પરિવર્તન માટે રોકાયેલી છે જે લોકોને પૈસા અને અન્ય પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે છે. આ કેસમાં દિલ્હીના બાટલા હાઉસનો રહેવાસી ઉમર મોહમ્મદ અને તેના સાથી જહાંગીરની લખનઉ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં પોલીસે આઈએસઆઈ અને વિદેશી નાણાંની સંભાવના પણ વ્યક્ત કરી છે. જાણવા મળ્યું છે કે આરોપીઓ મોટિવેશનલ થોટ અંતર્ગત હિન્દુને ધર્મ પરિવર્તન કરી રહ્યા હતા. એડીજી પ્રશાંત કુમારના જણાવ્યા મુજબ, ધર્મપરિવર્તન થયા બાદ લોકોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા.
એડીજીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી બંને મોલાનાએ 1000 થી વધુ ગરીબ લોકોના ધર્મ રૂપાંતરિત કર્યા છે. તેમનું લક્ષ્ય બહેરા બાળકો અને મહિલાઓને મદદ કરીને ધર્મ પરિવર્તન કરવાનું હતું. મહિલાઓ પરિવર્તન કર્યા પછી આ લોકોએ તેમના લગ્ન પણ કરાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આ લોકોનું નેટવર્ક નોઇડા, કાનપુર, મથુરા સહિત દેશના અન્ય રાજ્યોમાં ફેલાયેલું છે.
ઉમર ગૌતમ નામના વ્યક્તિએ પણ હિન્દુથી મુસ્લિમ ધર્મ બદલી લીધો છે. આ માણસે પોતે એક હજારથી વધુ લોકોને રૂપાંતરિત કર્યા છે. આ લોકો ઇસ્લામિક દાવા સેન્ટરના ઇશારે ધર્મ પરિવર્તન કરે છે. આ કામ માટે વિદેશથી પૈસા આપવામાં આવે છે.