પંજાબ કોંગ્રેસમાં નારાજ ચાલી રહેલા પક્ષના નવજાત સિંહ સિદ્વુની મુલાકાત થઇ નથી. મંગળવારે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા પહેલા રાહુલ ગાંધીએ આ અંગે વાતચીત કરી હતી. વાસ્તવમાં પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિધ્ધૂ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે.
હાલ એવી અટકળો હતી કે નવજોત સિંહ સિદ્ધુ પંજાબથી દિલ્હી આવશે અને મંગળવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત પણ કરી શકે છે. સિદ્વુ અમરિંદર સિંહ અંગેની વાતની ટોચનાઓ સામે રાખી શકે છે.સિદ્વુ થોડા નારાજ ચાલી રહ્યા છે પરંતુ હવે 10 જનપથ પર જતાં પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે પાર્ટીના નવજાત સિંહ સિદ્ધુની સાથે તેમની કોઈ બેઠક થઇ નથી.
આગામી વર્ષે દેશા પાંચ રાજ્યોમાં ચૂંટણી છે તેમાં પંજાબનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ કોઇ પણ રીતે આંતરિક મતભેદ બહાર લાવવા માંગતી નથી.તાજેતરમાં જ સિદ્વુએ બાર્ગારી કેસ અને કોટકપુરા ફાયરિંગની તપાસમાં સરકારે ઢીલ આપી હતી અને કેપ્ટન સરકાર પર નિશાનો સાધ્યો હતો.