ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણે મંગળવારે જમ્મુ પહોચી ગયા છે. તેઓ એવા વિસ્તારની મુલાકાત લેશે કે જ્યાં, 10 ઓક્ટોબરના રોજ આંતકીઓ સાથે અથડામણ થઇ હતી. સેનાના આ ઓપરેશન દ્વારા સેનાના બે JCO સહિત સાત જવાન શહીદ થઇ ગયા છે. પહેલા પૂંછના ડેરાવાલી ગલીમાં 10 ઓક્ટોબરના રોજ રાત્રે આંતકીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક JCO સહિત પાંચ જવાન શહીદ થઇ ગયા હતા.
આ પણ વાંચો : યાત્રા / ચારધામામ યાત્રામાં હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા,સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
છેલ્લા નવ દિવસમાં પૂંછના જંગલોમાં ભારતીય સેનાના હજારો જવાનોનો પાકિસ્તાની સેના દ્વારા ટ્રેઈન કરવામાં આવેલા આંતકવાદીઓ સાથે સાથે લડી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવે સેનાએ આંતકીઓને એક વિસ્તારમાં ઘેરી લીધા છે. સેનાના પેરા કમાન્ડો અને હેલીકોપ્ટરની પણ મદદ આ ઓપરેશનમાં લેવામાં આવી રહી છે. હવે કોશિશ એ થઇ રહી છે કે, ભલે ઓપરેશન લાંબુ ખેંચાય પણ સેનાના એક પણ જવાન શહીદ ન થાય.
આ પણ વાંચો : નિમણૂક / દિલીપ સંઘાણી બન્યાં ઇફકોનાં નવા ચેરમેન
ખૂબ લાંબા સમય બાદ જમ્મુ કાશ્મીરમાં આંતકી સાથે થનારી અથડામણ લાંબી ચાલી છે. સુરક્ષાબળોનું કહેવું છે કે, ઊંચા પહાડો અને ઘટાદાર જંગલોના કારણે કાર્યવાહીમાં થોડીક તકલીફ આવી રહી છે અને સાથે જ વરસાદના કારણે બધું જ ધૂંધળું વાતાવરણ થઇ ગયું છે જેના કારણે ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે.